Добавлены профессиональными переводчиками и компаниями и на основе веб-страниц и открытых баз переводов.
દીવો
Последнее обновление: 2021-01-23
Частота использования: 1
Качество:
Источник:
દિક્રિ ઘર નો દીવો
dikri ghar no divo
Последнее обновление: 2018-11-16
Частота использования: 1
Качество:
Источник:
દીકરી ઘરનું દીવો છે
daughter is house lamp
Последнее обновление: 2017-07-30
Частота использования: 1
Качество:
Источник:
જેમાં તે અને તેના મદનીશ, બન્ને પાસે, એક દીવો હતો, જે દરેકે પકડી રાખ્યો હતો.ગૅલિલીયો તેનોદીવો ચાલુ કરે અને મદદનીશ તેનો દીવો ચાલુ કરે.
galileo had worked out this really wonderful experiment where he and his assistant had a lamp, each one of them was holding a lamp.
Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:
Источник:
"જડત્વ એ દડાની ગાડીમાં પાછળ જવાની ઘટનાને વૈજ્ઞાનિકો એ આપેલું નામ છે. પણ સાચી વાત તો એ છે કે, હકીકતે કોઇને ખબર નથી." ફૅય્નમૅનને, આગળ જતાં, ઘણી પદવીઓ મળી, એમ આઇ ટી,પ્રિન્સટનમાં એમણે ચેલેન્જર દુર્ઘટનાનું નિરાકરણ કરી આપ્યું, તેમને ઉપપરમાણીક કણની હિલચાલની સમજાવતી તેમની ફેય્નમૅન રેખાકૃતિઓમાટે ભતિકશાસ્ત્રનો નૉબૅલ પુરસ્કાર પણ મળ્યો. અને એ આનું શ્રેય તેના પિતા સાથેની એ વાતચિતને આપે છે જેનાથી તેમને સમજાયું કે સાદામાં સાદો સવાલ તમને માનવીય જ્ઞાનની સીમાને છેડે લઇ જઇ શકે છે અને એ ત્યાં જ રમત માંડવા માગતા હતા. અને રમત તો એ રમ્યા. તે જ રીતે એરાટૉસ્થીનસ એ એલેક્ઝાન્ડ્રીઆનાં મહાન પુસ્તકાલયનો ત્રીજો ગ્રંથપાલ હતો, જેમણે વિજ્ઞાનનાં ક્ષેત્રે ઘણાં યોગદાન આપ્યાં છે. પરંતુ એ જેને માટે સહુથી વધારે યાદ કરાય છે તેની શરૂઆત તેમને ગ્રંથપાલ તરીકે, અલેક્ઝાન્ડ્રીઆની દક્ષિણે આવેલાં સ્વેનેટ નામનાં ગામમાંથી, આવેલ એક પત્ર દ્વારા થઇ હતી. પત્રમાં એક એવી હકીકત કહેવાઇ હતી જેણે ઍરાટૉસ્થીનસના વિચારોને સ્પર્શી ગઇ અને તે પત્રના લેખકે લખ્યું હતું કે અયનકાળ સમયની બપોરે, જ્યારે તે પોતાના કૂવામાં ડોકીયું કરે છે ત્યારે તે પોતાનું પ્રતિબિંબ તળિયે જોઇ શકે છે, અને સાથે એ પણ જોઇ શકે છે તેનું માથું સૂર્યને અવરોધે છે. મારૂં તો એવું માનવું છે કે ક્રીસ્ટૉફર કોલંબસે પૃથ્વી ગોળાકાર છે એવું શોધ્યું તે સાવ બકવાસ લાગે છે. સાવ ખોટું છે. હકીકતે, થોડું પણ ભણેલ કોઇ પણ જાણે કે ઍરીસ્ટોટલના સમયથી પૃથ્વી ગોળ છે અને ઍરીસ્ટૉટલે તે એક બહુ જ સાદા અવલોકનની મદદથી સાબિત કર્યું છે. તેણે જોયું કે જ્યારે પણ આપણે ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો જોઇએ છીએ એ વર્તુળાકાર હોય છે, અને માત્ર ગૉળાકાર વસ્તુનો જ પડછાયો હંમેશ વર્તુળાકાર હોય, ઇતિ સિધ્ધ્મ, કે પૃથ્વી ગોળ છે. પણ એ કેટલી મોટી છે તે કોઇને ખબર નહોતી જ્યાં સુધી ઍરાટૉસ્થીનસને આ હકીકત સાથેનો પત્ર નહોતો મળ્યો. એ સમજી ગયો કે સુર્ય સ્વેનેટ શહેરની બરાબર ઉપર રહે છે કારણ કે કૂવામાં નીચે જોતી વખતે કૂવો, જોનારનું માથું અને સૂર્ય એ બધાં એક જ સીધી લીટીમાં રહેતાં હતાં. ઍરાટૉસ્થીનસને બીજી પણ એક હકીકતની ખબર હતી. તેમને ખબર હતી કે સૂર્ય જ્યારે અયનમાં તેનાં શીર્ષબીંદુપર હોય સમયે એ જ દિવસે, એ જ સમયે જો ઍલેક્ષાંડ્રીઆમાં ખોડેલી લાકડીનો પડછાયો તેની ધરીથી ૭.૨ અંશનો ખૂણો બનાવે છે. હવે જો આપણને વર્તુળનાં પરિઘનું માપ ખબર હોય, અને તેનાં પરનાં બે બીંદુ ખબર હોય, અને તે બે બીંદુ વચ્ચેનું અંતર જાણી લો તો તેના પરથી વર્તુળના પરિઘનું માપ ગણી શકાય. ત્રણ સો સાઠ અંશ ભાગ્યા ૭.૨ બરાબર ૫૦ થાય. હા, હું સહમત છું કે તે આશરે પૂર્ણ સંખ્યા છે, અને એથી મને આ વાત પર પણ થોડી શંકા પણ રહે છે, પણ વાતમાં દમ છે, એટલે આપણે આગળ વધીશું. હવે તેમણે સ્વેનેટ અને એલેક્ષાંન્ડ્રીઆ વચ્ચેનું અંતર જાણવાની જરૂર હતી, જે તેમને ખબર હતી કરણ કે એરાટૉસ્થીનસને ભૂગોળનું સારૂં જ્ઞાન હતું. આમ તો, સાચી વાત એ છે કે, ભૂગોળની શોધ જ એમણે કરી હતી. સ્વેનેટ અને એલેક્ષાંન્ડ્રીઆ વચ્ચેનો માર્ગ એ વેપાર માટેનો માર્ગ હતો, વેપાર માટે ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગતો હતો તે જાણવું મહત્વનું હતું. તે માટે ચોક્કસ અંતર પણ જાણવું જરૂરી હતું, એટલે એમને સુનિશ્ચિતપણે ખબર હતી કે બે શહેર વચ્ચે ૫૦૦ માઇલનું અંતર છે. તેને ૫૦ વડે ગુણવાથી, ૨૫,૦૦૦નો આંકડો મળે છે, જે પૃથ્વીના સાચા વ્યાસના માપની ૧% જેટલું નજદીક છે. તેમણે આ ગણત્રી ૨૦૦૦ વર્ષ પહેલાં કરી હતી. જો કે, આજે તો આપણે એ યુગમાં રહીએ છીએ જ્યાં કરોડો ડૉલરની મશીનરી હીગ્ગ્ઝ બોસૉનની શોધ કરી રહી છે. આપણે પ્રકાશથી વધારે ગતિમાન હોઇ શકે એવા કણો ખોળી રહ્યાં છીએ, અને આ બધી શોધ એવી ટૅક્નૉલૉજી વડે શક્ય બની રહી છે જે થોડા કેટલાક દાયકાઓમાં વિકસીત થઇ છે. પરંતુ મોટા ભાગના માનવ ઇતિહાસમાં આપણે આવી શોધખોળ આપણી આંખો, કાન અને વિચારશક્તિથી જ કરવી પડેલ છે. આરમન્ડ ફીઝૌ એ પૅરિસ ખાતેના પ્રયોગિક ભૌતિકશાસ્ત્રી છે. તેમની વિશિષ્ઠતા તો ખરી રીતે બીજાંઓનાં પરિણામોને વધારે સૂક્ષ્મરીતે તપાસવાં અને બહાલી આપવાનું છે, જો કે આ કામ તો થોડું બિન-મહત્વનું જણાય, પરંતુ, હકીકતે, એ તો વિજ્ઞાનનો આત્મા છે, કારણ કે એવું કંઈ હકીકત સ્વરૂપ નથી જેનું સ્વતંત્રપણે પુષ્ટીકરણ ન થઇ શકે. તેઓ ગૅલિલીયોના પ્રકાશને ગતિ છે કે નહીં તે નક્કી કરવાના પ્રયોગોથી પણ પરિચિત છે. ગૅલિલીયો એ આ અદભૂત પ્રયોગ ઘડી કાઢ્યો હતો, જેમાં તે અને તેના મદનીશ, બન્ને પાસે, એક દીવો હતો, જે દરેકે પકડી રાખ્યો હતો.ગૅલિલીયો તેનોદીવો ચાલુ કરે અને મદદનીશ તેનો દીવો ચાલુ કરે. બન્ને જણા પોત પોતાનો સમય ચોક્કસપણે નોંધી લે. બન્ને ને એકબીજાના સમયની ખબર હતી. પછીથી તેઓ બે માઇલનાં અંતરવાળી એક એક ટેકરીની ટોચ ઉપર જઇ પહોંચ્યા,અને તેમણે બન્ને એ એકસરખી પ્રક્રિયા કરી, ગેલિલીયોનાં એ પૂર્વાનુમાન પર કે જો પ્રકાશની સ્પષ્ટ જોઇ શકાય એવી ઝડપ હોય, તો તેને તેના મદદનીશના દિવાનો પ્રકાશ થોડા સમયના અંતર પછી દેખાય. પણ પ્રકાશ ગૅલિલીયો કરતાં ઝડપી પરવડ્યો. ગેલિલિયો પ્રકાશ અવાજ કરતાં દસેક ગણો ઝડપી છે એવી ધારણામાં અનેક ગણી માત્રામાં ખોટા પડ્યા. ફિઝૌ આ પ્રયોગ વિષે જાણતા હતા. તે પૅરિસમાં રહેતા હતા, અને તેમણે બે પ્રયોગ સંસ્થાનો પૅરિસથી આશરે સાડા પાંચ માઇલ દૂર સ્થાપ્યાં. અને તેમણે ગૅલિલીયોની સમસ્યાનું સમાધાન કરી આપ્યું, જેના માટે એમણે સાવ સામાન્ય સાધનનો ઉપયોગ કર્યો. તેમણે આ પૈકી એક્નો ઉપયોગ કર્યો. હું આ વાતને થોડી વાર માટે બાજૂએ રાખી દઇશ કારણકે મારે તમારૂં ધ્યાન ખેંચવું છે. આ છે દાંતાવાળું ચક્ર.તેમાં થોડા ખાંચા અને થોડા દાંતા છે. આ હતું ફિઝૌનું પ્રકાશને સ્પષ્ટ ધબકારના અંતરે મોકલતા રહેવા માટેનું સાધન. તેમણે પ્રકાશના એક પુંજને આ ખાંચાઓની પાછળ ગોઠવ્યો. એ પુંજને દાંતામાંથી જો પાંચ માઇલ દૂર રાખેલ અરીસાની સામે મુકવામાં આવે, તો એ પુંજ અરીસામાંથી પરિવર્તીત થઇને પાછો આ ખાંચામાંથી થઇને પરત આવે છે. પરંતુ જેમ જેમ ચક્રને ઝડપથી ફેરવીએ છીએ તેમ તેમ કંઇ રસપ્રદ બનતું જોવા મળે છે. તેઓ નોંધે છે કે તેમની આંખ તરફ આવતા પ્રકાશ પુંજ પર બંધ થઇ રહેતું હોય એવાં બારણા જેવું દેખાય છે. આમ કેમ? કારણ એ કે પ્રકાશનો ધબકાર સીધો જ એ જ ખાંચામાં પરત નથી આવતો. તે ખરેખર તો દાંતા સાથે અથડાય છે. અને જેમ જેમ ચક્રને એટલી ઝડપથી ફેરવતાં જઇએ છીએ કે પ્રકાશને પૂરેપૂરો છેતરવાં આવે છે. અને પછીથી, બે સંસ્થાન વચ્ચેનું અંતર અને ચક્રની ફરવાની ગતિ તેમ જ ચક્ર ઉપર ખાંચાની સંખ્યાની મદદથી, પ્રકાશની ગતિ મૂળ રકમના બે ટકાની અંદર ગણી શકાય છે. અને આ એમણે ૧૮૪૯માં કરી બતાવેલું. વિજ્ઞાનની આ વાત જ મને તેમાં રસ લેવા પ્રેરે છે. જ્યારે પણ મને કોઇ વિભાવના સમજાતી નથી હોતી, ત્યારે ત્યારે હું એ વિભાવનાના શોધક લોકોને ખોળી કાઢવાનો પ્રયત્ન કરૂં છું. હું તેઓ એ વિભાવના શી રીતે સમજ્યા હતા તે વાત પ્રત્યે ઘ્યાન આપું છું. અને જ્યારે શોધકો તેમની શોધ કરતી વખતે શું વિચારતા હતા તે સમજવાથી, આપણને એટલી સમજ પડે છે તેઓ આપણાથી કંઇ ખાસ અલગ નહોતા. આપણે બધા માંસ અને પાણીના થેલા જ છીએ. આપણે બધાં એક જ સરખાં સાધનોથી શરૂઆત કરીએ છીએ. વિજ્ઞાનની અલગ અલગ શાખાઓને અભ્યાસનાં ક્ષેત્ર કહેવાય છે તે મને પસંદ છે. મોટા ભાગનાં લોકો માટે વિજ્ઞાન એ એક બંધ, કાળો પટારો છે, જ્યારે ખરેખર તો એ એક મુક્ત ક્ષેત્ર છે. અને આપણે બધા શોધખોળ કરનારાંઓ છીએ. જે લોકોએ આ શોધ કરી તેઓ જે કંઇ જોઇ રહ્યાં હતાં તે વિષે તેઓએ જરા વધારે જોર દઇને વિચાર્યું, અને તેઓ જરા વધારે જિજ્ઞાસુ હતાં. તેમની જિજ્ઞાસાએ લોકો જગત વિષે જે રીતે વિચારતાં હતાં તે દ્રષ્ટિકોણ બદલી નાખ્યો, અને , એ રીતે જગતને પણ બદલી નાખ્યું. તેઓ જગત બદલી શક્યા,તેમ આપણે પણ બદલી શકીએ. આપનો આભાર.
inertia is the name that scientists give to the phenomenon of the ball going to the back of the wagon." (laughter) "but in truth, nobody really knows."
Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:
Источник:
Предупреждение: Содержит скрытое HTML-форматирование